ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા રાજકોટના મોટીવાવડી ગામે રહેતા યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે વાંકાનેર નજીક વઘાસિયા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ લીધું હોય તેનું મોત નીપજ્યું છે તે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટમાં મોટી વાવડી ખાતે રહેતો પ્રીતકુમાર નંદલાલ ભાલોડીયા (27) નામનો યુવાન મોરબી હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે બાયપાસના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રીતકુમાર ભાલોડીયાને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનનું રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં ટી.આર.રિફેકટરીઝ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ રામચંદ્ર ભીલ (23) નામનો યુવાને કારખાનામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જગદીશભાઈ કણસાગરા (59) રહે. ધર્મનગર સોસાયટી પંચાસર રોડ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News