મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
SHARE
હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
હળવદના ઢવાણા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તાવની બીમારી હોય બીમારી સબબ તેનું મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી
હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા માનસિંગભાઈ કુશલભાઈ દુધરેજીયા (45) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરા નિકુલભાઇ માનસિંગભાઈ દુધરેજીયા (22) રહે. ઢવાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જયારે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સ્લોગન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પરિવારની સરસ્વતીસિંગે બામણીયાભાઈ કુડા નામની ત્રણ વર્ષની બાળકીને તાવની બીમારી હોય બીમારી સબબ તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની જયંતિસિંગે બામણીયાભાઈ કુડા હાલ રહે.લાલપર મોરબી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સ્ટાફના અરજણભાઈ ગારિયાએ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









