મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો


SHARE





માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો

માળીયા મિયાણા નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન મહાદેવ મંદિર તળાવની પાળે આવેલા બગીચામાં ભવ્ય ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન એકસાથે પ્રગટાવવામાં આવેલા ૩,૦૦૦ દીવાઓથી સમગ્ર મંદિર પરિસર અને બગીચો દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. શહેરમાં શાંતિ, સદ્ભાવના અને સમૃદ્ધિ વધે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ નાગરિકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમ માળીયા મિયાણા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોષી તેમજ નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ સંધવાણીના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




Latest News