મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો
SHARE
માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો
માળીયા મિયાણા નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન મહાદેવ મંદિર તળાવની પાળે આવેલા બગીચામાં ભવ્ય ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન એકસાથે પ્રગટાવવામાં આવેલા ૩,૦૦૦ દીવાઓથી સમગ્ર મંદિર પરિસર અને બગીચો દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. શહેરમાં શાંતિ, સદ્ભાવના અને સમૃદ્ધિ વધે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ નાગરિકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમ માળીયા મિયાણા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોષી તેમજ નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ સંધવાણીના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.