મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 


SHARE











મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા ચારણ સમાજને "રાવણોના ચારણ"  એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેની સામે સમગ્ર ભારત વર્ષમાં ચારણ સમાજ રોષે ભરાયો છે. અને રાષ્ટ્રીય પ્રવક્તા આવી અભદ્ર ટીપ્પણી બદલ ચારણ સમાજની માફી માંગે એ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષને સમગ્ર ભારતના ચારણોએ આવેદન  આવવાનું શરૂ કર્યું છે. ત્યારે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવાનોની મોરબીની ટીમ ના અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવીની આગેવાનીમાં  મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાને રૂબરૂ મળીને આવેદન પાઠવીને સુરજેવાલા જાહેરમાં આવી મીડિયા સમક્ષ ચારણ સમાજની માફી માંગે તેવી પ્રબળ માંગણી કરી છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે  આંદોલન કરવામાં  આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવીતાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, પ્રવક્તા સંજયભા ગઢવીચારણ સમાજના માજી પ્રમુખ પ્રભાતદાન મિશણઉપાધ્યક્ષ મહેશદાન ગઢવીઆઇટી પ્રભારી વિજયભા રતનમીડિયા પ્રભારી મેહુલભા ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News