મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધવાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત


SHARE















પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસે સીરામીકની અંદર મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા યુવાનની પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થઈ જતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત મોરબીના રંગપર ગામ પાસે આવેલી લિવેન્ઝા સિરામિકના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાથી આસમકુમાર અરૂણકુમારસિંહ યાદવ (ઉંમર ૧૮) એ પોતાના લેબર કવાર્ટર નંબર -૬૩ ની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અનો યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની બહેન બેબીદેવીની નણંદ સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હતો અને તેની પ્રમિકાના ગત તારીખ ૨૪/૬ ના રોજ બીજા વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયા હતા જેથી કરીને આસમકુમારને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે હાલમાં આ બનાવની મહેશકુમાર કૃષ્ણકુમારસિંહ યાદવ રહે લિવેન્ઝા સિરામિક વાળાએ પોલીસને જાણ કરી હોય તેના આધારે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News