મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત


SHARE











પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસે સીરામીકની અંદર મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા યુવાનની પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થઈ જતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત મોરબીના રંગપર ગામ પાસે આવેલી લિવેન્ઝા સિરામિકના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાથી આસમકુમાર અરૂણકુમારસિંહ યાદવ (ઉંમર ૧૮) એ પોતાના લેબર કવાર્ટર નંબર -૬૩ ની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અનો યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની બહેન બેબીદેવીની નણંદ સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હતો અને તેની પ્રમિકાના ગત તારીખ ૨૪/૬ ના રોજ બીજા વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયા હતા જેથી કરીને આસમકુમારને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે હાલમાં આ બનાવની મહેશકુમાર કૃષ્ણકુમારસિંહ યાદવ રહે લિવેન્ઝા સિરામિક વાળાએ પોલીસને જાણ કરી હોય તેના આધારે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News