માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત


SHARE













પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસે સીરામીકની અંદર મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા યુવાનની પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થઈ જતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત મોરબીના રંગપર ગામ પાસે આવેલી લિવેન્ઝા સિરામિકના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાથી આસમકુમાર અરૂણકુમારસિંહ યાદવ (ઉંમર ૧૮) એ પોતાના લેબર કવાર્ટર નંબર -૬૩ ની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અનો યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની બહેન બેબીદેવીની નણંદ સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હતો અને તેની પ્રમિકાના ગત તારીખ ૨૪/૬ ના રોજ બીજા વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયા હતા જેથી કરીને આસમકુમારને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે હાલમાં આ બનાવની મહેશકુમાર કૃષ્ણકુમારસિંહ યાદવ રહે લિવેન્ઝા સિરામિક વાળાએ પોલીસને જાણ કરી હોય તેના આધારે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News