ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલી પડી ગયેલ મહીસાગરની વૃધ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE













મોરબીમાં ભૂલી પડી ગયેલ મહીસાગરની વૃધ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીના વીસીપરા વિસ્તારમાથી વૃધ્ધ મહિલા મળી આવી હતી અને તે અહીનું સરનામું ભૂલી ગયેલ હતી જો કે તે મહીસાગર જીલ્લામાથી આવી હોવાની માહિતી તેનું પૂછપરછમાં સામે આવી હતી જેથી કરીને પોલીસે તપાસ કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે આ વૃદ્ધ મહિલાને તેના દીકરા પાસે પહોચાડી આપેલ છે
 

મોરબી સીટી બી ડીવીજેએચએન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વીસીપરા કેશ્વાનંદબાપુના આશ્રમ પાસેથી વયવૃધ્ધ મહીલા રમીલાબેન પ્રતાપસિંગ સુમાસિંહ નાયક (ઉ.૬૦) રહે. નસલાઇ તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર વાળા મળી આવેલ હતા જેની જાણ અલીભાઇ દાઉદભાઇ માલાણી જાતે મીયાણા (ઉ.૨૫) રહે રમેશ કોટન મીલની ચાલી વીસીપરા વાળાઓએ બી ડિવિઝન પોલીસને કરી હતી જેથી તે વયવૃધ્ધ મહીલાની બીટ જમાદાર વશરામભઇ મેતા અને રાઇટર કિશનભાઈ મોટાણીએ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કેતેઓ મોરબીમાં કોઇ કંપનીમાં પોતાના દીકરા સુરમા પ્રતાપસિંહ સાથે કામે આવેલ હતા અને મહીલા કંપનીમાંથી ચાલીને નીકળેલા બાદ સરનામુ નહી મળતા તેઓને સખી વન સ્ટોપ સેન્ટરમા રખેલ હતા અને તેઓના લગતા વળગતાનો સંપર્ક કરી વૃધ્ધ મહીલાના દીકરા સુરમાભાઇ પ્રતાપભાઇ નાયક જાતે.ભીલ હાલ રહે. એ.જે.માઈક્રોન્સ કારખાનામાં લક્ષમીનગર બાયપાસ વાળાને સોંપેલ છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News