મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

હળવદના દેવીપુરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ઝેરી  અસર થયેલ વૃધ્ધનું સારવારમાં મોત


SHARE













હળવદના દેવીપુરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ઝેરી  અસર થયેલ વૃધ્ધનું સારવારમાં મોત

હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરતા વૃધ્ધને ઝેરી અસર થઇ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે  

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ દેવીપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા દયારામભાઈ દેવજીભાઈ જાદવ (૫૮) પોતાના ખેતરની અંદર તારીખ ૨૭/૬ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઘાસ બાળવ માટે જંતુનાશક દવાનો છટકાવ ખેતરમાં કરી રહ્યા હતા ત્યારે તેઓને જંતુનાશક દવાની અસર થઈ હતી જેથી કરીને તેઓની તબીયત લથડતા તેઓને પ્રથમ મોરબી સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિનરજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા દયારામભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

ફીનાઇલ પીધું

માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા પુજાબેન આનંદભાઈ કાનગડ (ઉમર ૨૫) નામની મહિલાએ પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ લેતા તેને માળીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને તેનો લગ્ન ગાળો ચાર માસ હોય તેમજ સાસુ-સસરા સાથે રહેતા હોય પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે 

વરલી જુગાર

મોરબી તાલુકાના મકનસર ગામ રામજી મંદિર ચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે બળવંતભાઈ સવજીભાઈ ઝિંઝુવાડીયા જાતે કોળી (ઉંમર ૩૭) રહે મકનસર વાડા વરલી જુગાર આંકડા લેતા હોય તેની પાસેથી રોકડા રૂપિયા ૨૬૧૦ કબજે કરીને પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે 

અકસ્માતમા ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા જીવણભાઈ બાવજીભાઈ ચાવડાના બાઇક નંબર જીજે ૩ ઇજી ૩૨૭૬ ને ટ્રક નંબર એનએલ ૧ કયુ ૪૬૯૧ ના ચાલકે અડફેટે લીધું હતુ અને જીવણભાઈને ફ્રેકચર જેવી હાથમાં ઈજા કરી હતી.ત્યાર બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક રેઢી મૂકીને નાસી ગયો હતો જેથી કરીને ઇજાગ્રસ્તના ભાઈ દિનેશભાઈ આલાભાઇ ચાવડા (ઉંમર ૨૭) રહે સોઓરડી મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે 

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરીયાલાલ પ્લાઝા પાસેથી કાર લઈને વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ચરણરાજસિંહ ઝાલા (૨૩) પસાર થતા હતા ત્યારે તેની કારને ડમ્પરના ચાલકે અડફેટે લીધી હતી જેથી કરીને તેઓને કપાળના ભાગે પાંચ ટકા આવ્યા હતા અને હાથે-પગે શરીરે ઈજાઓ થઈ હતી તેમજ કારમાં મોટું નુકસાન થયું હતું જેથી કરીને ભોગ બનેલા ચરણરાજસિંહે ડમ્પર ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News