ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો


SHARE













મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વરીયાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂ હોવાના બાતમી મળીસહતી જેથી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને ૧૪ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૩૦૦ ની કિંમતનો દારૂ કબજે કરે છે અને હાલમાં એક શખ્સ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વરીયાનગર શેરી નંબર ૬ ની અંદર રહેતા ગોપાલભાઈ ઉર્ફે મુન્નો હીરાભાઈ ચાંઉના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને દારૂની ૧૪ બોટલ મળી હતી જેથી પોલીસે ૫૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને હાલમાં ગોપાલભાઈ ઉર્ફે મુન્નો ચાંઉની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે બીજું કાંઈ છે.

 

બીમારીથી કંટાળીને દવા પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ કોળી નામના ૪૮ વર્ષિય આધેડને હરસ-મસાની શારિરીક તકલીફ હોય તેના લીધે તેઓને બીમારીથી કંટાળીને ગઈકાલે દસેક વાગ્યાના અરસામાં શહેરના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલા કોરલ સિરામિક નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેમને સારવાર માટે મંગલમ હોસ્પીટલે ખસેડાયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ચાવડાએ ઉપરોકક બનાવની આગળની તપાસ હાથ ધરી છે.હાલ આધેડે બીમારીથી કંટાળીને ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News