મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી નિકળી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત પણ અન્ય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં દરબારગઢ પાસેના રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી અને રાત્રીના બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ યોજાયો હતો.શહેરના પરસોતમ ચોકમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિર ખાતે પણ મહાઆરતી અને અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે અબોલ જીવ એટલે કે પક્ષીના ચણ માટે ૧૨૦ મણ જેટલા ચણ એકત્રીત કરવામાં આવ્યું હતું.તેમજ મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ ગામે યુવાનો દ્વારા શોભાયાત્રા યોજીને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના અન્ય તાલુકાઓ એટલે કે માળીયા મીંયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા તેમજ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ રામજી મંદિરો ખાતે મહાઆરતીય યોજવામાં આવી હતી અને રામનવમી નિમિતે ઠેર-ઠેર અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. 






Latest News