મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી નિકળી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત પણ અન્ય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં દરબારગઢ પાસેના રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી અને રાત્રીના બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ યોજાયો હતો.શહેરના પરસોતમ ચોકમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિર ખાતે પણ મહાઆરતી અને અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે અબોલ જીવ એટલે કે પક્ષીના ચણ માટે ૧૨૦ મણ જેટલા ચણ એકત્રીત કરવામાં આવ્યું હતું.તેમજ મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ ગામે યુવાનો દ્વારા શોભાયાત્રા યોજીને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના અન્ય તાલુકાઓ એટલે કે માળીયા મીંયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા તેમજ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ રામજી મંદિરો ખાતે મહાઆરતીય યોજવામાં આવી હતી અને રામનવમી નિમિતે ઠેર-ઠેર અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. 








Latest News