મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Morbi Today
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, રામધૂન, વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે રામનવમી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ
SHARE
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, રામધૂન, વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે રામનવમી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ
બાળસ્વરૂપે પ્રભુશ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી પધાર્યા :વેશભુષા હરીફાઈમા બહોળી સંખ્યામા બાળકોએ રામદરબારનો વેશ ધારણ કરી ભાગ લીધો. દરેક બાળકો ને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કરાયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે રામધૂન, મહાઆરતી, બાળકો માટે વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
બાળકોમા ધાર્મિક ભાવના કેળવાય તેમજ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર નાના બાળકો માટે વેશભુષા સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા બાળકોએ રામદરબારનો વેશ ધારણ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિજેતા બાળકો સહીત દરેક બાળકોને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કર્યા હતા.દરેક રામભક્તો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા બહોળી સંખ્યામા રામભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારી ગીરીશભાઈ ઘેલાણી, કૌશલભાઈ જાની, મનિષભાઈ પટેલ, હરીશભાઈ રાજા, પોલાભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સી.પી.પોપટ, જયેશભાઈ કંસારા, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
બાળકોમા ધાર્મિક ભાવના કેળવાય તેમજ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર નાના બાળકો માટે વેશભુષા સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા બાળકોએ રામદરબારનો વેશ ધારણ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિજેતા બાળકો સહીત દરેક બાળકોને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કર્યા હતા.દરેક રામભક્તો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા બહોળી સંખ્યામા રામભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારી ગીરીશભાઈ ઘેલાણી, કૌશલભાઈ જાની, મનિષભાઈ પટેલ, હરીશભાઈ રાજા, પોલાભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સી.પી.પોપટ, જયેશભાઈ કંસારા, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.









