મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા
SHARE
મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા
મોરબી વિસ્તારમાં રજડતા કુતરાનો આતંક વધી રહ્યો છે તેવામાં મોરબી શહેરી અને ગામડામાં કુલ મળીને બાળક સહિત કુલ મળીને 10 જેટલા લોકોને જુદાજુદા વિસ્તારમાં કૂતરાએ બચકાં ભરી લીધેલ છે. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કૂતરાએ આતંક મચાવી દીધો હોય તેવી રીતે એક જ દિવસમાં કુલ મળીને 10 જેટલા લોકોનો જુદાજુદા વિસ્તારમાં બચકાં ભરી લીધેલ છે જેથી તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને જે વ્યક્તિને કૂતરાએ બચકાં ભરેલ છે તેમાં ભાર્ગવ દેવજીભાઈ (16) રહે. સામાકાંઠે મોરબી, આરજુબેન રીયાઝભાઈ (5) રહે. રણછોડનગર, ટીનાબેન સુમલાભાઈ (43) રહે. ઘુનડા, કિશોરભાઈ ઉકાભાઈ (40) રહે. લખધીરનગર, નરસીભાઈ રવજીભાઈ (65) રહે. ગોકુલનગર શનાળા, શર્માબેન પ્રકાશભાઈ (21) રહે. ખાનપર, રાકેશભાઈ નાનાભાઈ (30) રહે. મોરબી, પુનમબેન મગનભાઈ (60) અને તેજલબેન કણઝારીયા (27) રહે. વાધરવા સહિતના લોકોનો સમાવેશ થાય છે.