મોરબી પાલિકાના ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે રાજ્યનું બેસ્ટ ફાયર સ્ટેશન ઘોષિત
ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે
SHARE









ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે
ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તા. ૨૩/૪ ને મંગળવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
હનુમાન જયંતિના દિવસે યજ્ઞ (હવન), બટુક ભોજન, બ્રહ્મ ચોરાશી, સમુહ પ્રસાદ અને મહા આરતી વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રસાદની વ્યવસ્થા હનુમાનજીના સેવકોની કમીટી તરફથી કરવામાં આવેલ છે તેવું ભરતદાસજી કુબાવતએ જણાવ્યુ છે
