ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે
મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું
SHARE









મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું
મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવારના હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારા વાળા)ના વરદ્ હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના નિર્માણ કાર્યનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે તે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. આ ખાતમૂહુર્ત પ્રસંગે હિરેનભાઈ એ.દોશી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દિલુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), ધીરજલાલ વાલજીભાઈ હિરાણી, હસુભાઈ રાચ્છ, રીટાબેન રવાણી, ડો.પારેખ, રમેશભાઈ સચદેવ (પેટ્રોલપંપ વાળા), અજીતભાઈ શેઠ, ભગવાનજીભાઈ શાહ, જયેશભાઈ ટોળીયા, લલીતભાઈ ચંદારાણા, અનીલભાઈ ચંડિભમર, કીશોરભાઈ ચંડિભમર સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના દાતા, ટાઈલ્સના દાતા મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles), લીફ્ટના દાતા સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની-વવાણીયા વાળા), જનરેટરના સહયોગી ધીરજલાલ વાલજીભાઈ હિરાણી પરિવાર (વૈભવ ફટાકડા વાળા), રૂમ નં-૧ ના દાતા મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.), રૂમ નં-૨ ના દાતા સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી), સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ), સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ-રીધ્ધિ ફટાકડા), સ્વ.સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર, સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી), મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન), સવજીભાઈ નાનજીભાઈ પંડિત પરિવાર (હ.મનોજભાઈ પંડિત), ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર, જીતેન્દ્રભાઈ દીનેશભાઈ કક્કડ પરિવાર(R.K.), હસુભાઈ અમૃતલાલ રાચ્છ પરિવાર(મીરા ટાઈમ), અનીલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) અને અન્ય સહયોગીઓમાં જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, ચંદ્રિકાબેન કારીયા અને સચીનભાઈ કાનાબાર હાજર રહ્યા હતા અને જલારામ પ્રાર્થના મંદિરના નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનમાં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), ઉપેન્દ્રભાઈ કાથરાણી (૯૮૨૫૨૨૩૨૦૪), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), ચંદ્રવદનભાઈ પુજારા (૯૮૨૫૨૩૩૮૯૮) અને નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
