વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે સબંધ છોડી દેવાની ના પાડનારા યુવાનની હત્યાના ગુનામાં ધરારપ્રેમીને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં પત્ની સાથે સબંધ છોડી દેવાની ના પાડનારા યુવાનની હત્યાના ગુનામાં ધરારપ્રેમીને આજીવન કેદની સજા

મોરબીમાં રહેતી મહિલા ગમતી હોવાથી તેના પતિને તેની સાથે સંબંધ છોડી દેવા માટે થઈને એક શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારે તે મહિલાના પતિએ પોતાની પત્ની સાથે સંબંધ છોડવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો જેથી કરીને તે શખ્સે મહિલાના પતિને છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી છે

આ કેસની મળતિ વિગતો મુજબ ગત તા. ૧૫/૧૦/૨૦૨૧ ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશને ફરિયાદી જાવીદશા ઉમરશા શાહમદાર નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી કે મકરાણીવાસમાં રહેતા ફિરોજનો દીકરો સરફરાજ અવારનવારત તેના ઘરે આવી ફરિયાદીના નાના ભાઈ ઇમરાનને કહેતો હતો કે તારી પત્ની સાહીદા મને ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે જેથી તું સાહીદા સાથે સંબંધ છોડી દે ત્યારે ફરિયાદીના નાના ભાઈને સબંધ છોડવાની ના કહી હતી ત્યાર બાદમાં રાત્રીના સાડા બારેક વાગ્યે ઘરના ફળિયામાં બચાવો બચાવોનો અવાજ આવતા ઉમરશા બહાર નીકળ્યા હતા જ્યાં નાના ભાઈ ઇમરાનની રૂમ પાસે સરફરાજ નાના ભાઈ ઇમરાનને પછાડી તેની પર બેસી છરી વડે આડેધડ ઘા ઝીકતો હતો અને ત્યાર બાદ આરોપી નાસી ગયો હતો અને ઇમરાનનું મોત નિપજ્યુ હતુ જે બનાવમાં હત્યાની ફરિયાદ લઈને પોલીસે જે તે સમયે આરોપીની ધરપકડ કરી હતી આ કેસ શુક્રવારે બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૯ મૌખિક અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી સરફરાજ ફિરોજ શાહમદારને કસુરવાન ઠેરવ્યો હતો અને હત્યાના ગુનામાં કોર્ટે આજીવન સખ્ત કેદની સજા અને બે લાખનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ ભારતીય દંડ સહીનતાની કલમ ૪૪૭ મુજબના ગુનામાં છ માસની સાદી કેદની સજા અને ૧૦૦૦ દંડ ફટકાર્યો છે.






Latest News