મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ઘરમાં અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











વાંકાનેરના હરિ પાર્કમાં આધેડે ઘરમાં અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું :મોત

વાંકાનેરના નવાપરામા આવેલ હરિ પાર્કમાં રહેતા આધેડે પોતે પોતાના જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિ પાર્કમાં રહેતા વસંતભાઈ વીરજીભાઈ કલોલા જાતે વાણંદ (૫૭) નામના આધેડે પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે કોઈ પણ કારણોસર તેણે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બીમારી સબબ મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં શંભુ હોમડેકોરની સામે બાવળની જાળીમાં શ્રીકાંતરામ ગંગારામ પ્રસાદ રહે.ચાટોપુર જીલ્લો આઝમગઢ હાલ રહે. ઇન્વેન્ટા કારખાનાની ઓરડીમાં ખોખરા હનુમાન રોડ બેલા મોરબી વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો અને બીમારી સબબ બાવળની જાળીમાં તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળતા મૃતકના દીકરા રાહુલકુમાર શ્રીકાંતરામ પ્રસાદ રહે. હાલ ઇન્વેન્ટ કારખાનાની ઓરડમાં બેલા મોરબી વાળો મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બનાવની વધુ તપાસ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.






Latest News