મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

પોલીસ ચોપડે સોનાનો ભાવ ઘટી ગયો ?: મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૯.૬૨ લાખનો મુદામાલ ચોરાયો !


SHARE













પોલીસ ચોપડે સોનાનો ભાવ ઘટી ગયો ?: મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૯.૬૨ લાખનો મુદામાલ ચોરાયો !

મોરબીના જેપુર સોમવારે રાતે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચ સહિત પાંચ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનમાંથી કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા તેમજ ૨૮ તોલા સોનાના દાગીના લઈ ગયેલ છે જેની વર્તમાન કિંમત મુજબની કુલ રકમ ૨૫ લાખ રૂપિયાથી વધુ થાય છે જો કે, પોલીસના ચોપડે સોનાની એક તોલાની કિમત ૨૫ હજાર ગણીને પોલીસે ફરિયાદ લીધેલ છે તો પણ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ,૬૨,૫૦૦ ના મુદામાલની ચોરી થઈ હોવાનો ગુનો અજાણ્યા શખ્સોની સામે નોંધાયેલ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં સોમવારે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે અને ગામમાં ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી ગયેલ તસ્કરોનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી હાલમાં આ ઘટનામાં કુંવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયા જાતે પટેલ (૬૮)ની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઇ અજાણ્યા ચોરે તેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલી કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરી છે જેમાં રોકડ રકમ આશરે ત્રણ લાખ, સોનાના બે ડોકીયા આશરે બે તોલાના ૫૦,૦૦૦, સોનાની પાંચ જોડી બુટી આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાની વીંટી નંગ- ૬ આશરે સાડા ચાર તોલા ૧,૧૨,૫૦૦, સોનાના ચાર ચેઇન આશરે પાંચ તોલાના ૧,૨૫,૦૦૦, સોનાની બંગડી ચાર નંગ આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાનું કડુ આશરે સાડા ત્રણ તોલાનું ૮૭,૫00, સોનાની વીંટી ત્રણ નંગ આશરે બે તોલા ૫૦,૦૦૦, સોનાનો ચેઇન આશરે દોઢ તોલાનો ૩૭,૫00 એમ કુલ મળીને આશરે રૂપીયા ૯,૬૨,૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે આ ઉપરાંત ગામમાં રહેતા વીરલભાઇ પ્રભુભાઇ સાણંજા, મગનભાઇ મહાદેવભાઇ સેરસીયા, હરેશભાઇ નરભેરામભાઇ સાણંજા તેમજ હરેશભાઇ ચંદુલાલભાઇ સાણંજાના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે નોંધેવાલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે

અત્રે ઉલેખનીય છે કે, સોનાની બજાર કિંમત શું છે તે બધા જ જાણે છે અને આજની તારીખે એક તોલા સોનાનો ભાવ ૭૭,૦૦૦ ચાલી રહ્યો છે ત્યારે જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના રહેણાંક મકાનને નિશાન બનાવીને તકરો તેના ઘરમાંથી અંદાજે ૨૫ તોલા જેટલા સોનાના દાગીના લઈ ગયેલ છે જેની વર્તમાન બજાર કિંમત ૧૯.૨૫ લાખ થાય તેમ છે અને રોકડા રૂપિયા વધુ ગયા છે જો કે, સરકારી ચોપડે કેમ ઓછી રકમ લેવામાં આવી છે તે પણ એક સવાલ છે ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તસ્કરોને રોકવામાં નિષ્ફળ રહેલ પોલીસે ચોરીનો આંકડો નીચો લાવવા માટે સોનાની રકમ બજાર કિંમત મુજબ ન દર્શાવીને ફરિયાદ લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા ગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘર સાફ કરીને ચાલ્યા ગયેલ છે ત્યારે આ આરોપીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ સહિતની ટીમો દ્વારા જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવેલ છે જો કે, આરોપી કયારે પકડશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News