મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ: ૨૪૫૫ લિટર આથો, ૪૫ લિટર દારૂ અને દારૂની નાની-મોટી ૧૮ બોટલ સાથે એકની ધરપકડ


SHARE













હળવદના ચાડધ્રા ગામે દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ: ૨૪૫૫ લિટર આથો, ૪૫ લિટર દારૂ અને દારૂની નાની-મોટી ૧૮ બોટલ સાથે એકની ધરપકડ

હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે દારૂની નાની મોટી ૧૮ બોટલો અને દેશી દારૂ તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એ.એન. સીસોદીયા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણીના કબ્જા ભોગવટા વાળી વાડીની બાજુમાં આવેલ ખરાબામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૫,૨૬૦ નો મુદામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી

વધુમાં મળતી માહિતી મુજબ પોલીસે આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણી જાતે કોળી (૨૪) રહે. રાયસંગપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૪૫૫ લિટર આથો, દેશી દારૂ ૪૫ લિટર, ભઠીના સાધનો, દારૂની નાની ૯૬ બોટલ અને મોટી જુદીજુદી બ્રાન્ડની ૧૮ બોટલ કબ્જે કરેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસ તેમજ અજીતસિંહ એન. સીસોદીયા, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, યુવરાજસિંહ નીરુભા જાડેજા, કમલેશભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે








Latest News