વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ ?: મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE













ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ ?: મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

રાજ્યભરમાં સ્માર્ટ મીટર મૂકવા માટેનું કામ ચાલી રહ્યું છે જેની સામે લોકોમાં ભારે રોષની લાગણી છે અને ઠેરઠેર વિરોધ કરી રહયા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઊર્જા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ રાખવામા આવી રહ્યો છે

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ઊર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે, જૂના મીટર બદલીને તેની જગ્યાએ હાલમાં ગ્રાહકોનો મત લીધા વગર જ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે તેમાં બિલ વધુ આવે છે. જેથી કરીને તેની સામે ગ્રાહકોને અસંતોષ છે ત્યારે ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ વીજ કંપની દ્વારા રાખવામા આવે છે ? કોઈપણ સરકારી યોજના પ્રજાને અનુકુળ ન હોય તો ફરજિયાત સ્વીકારવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં અને સ્માર્ટ મીટર લગાવતા પહેલા લોકોની સાથે પરામર્શ કરવો જોઈએ અને સેમિનાર યોજીને સરકારી યોજનાને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. અને ગ્રાહકની ઈચ્છા હોય તો જ સ્માર્ટ મીટર મૂકવું જોઈએ. કેમ કે, કોઈપણ સરકારી યોજના ગ્રાહકો પર જોર જુલ્મી કરીને ઠોકી બેસાડાય નહીં. જેથી કરીને આ બાબતે યોગ્ય કરવાની માંગ સાથે ઊર્જા મંત્રીને રજૂઆત કરેલ છે.






Latest News