એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં ઓડિયા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરતા કર્મવિરોનું કરાયું સન્માન


SHARE

















મોરબીના મહેન્દ્રનગરમાં ઓડિયા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરતા કર્મવિરોનું કરાયું સન્માન

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રણછોડભાઈ ઓડિયા કે જેઓ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે, એમના પુત્ર સંદીપ ઓડીયાના ઘરે પુત્ર રત્નની પધરામણી થતાં એની ખુશીમાં દાદા રણછોડભાઈ ઓડિયાએ મહેન્દ્રનગર ગામમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ જેમ કે અંતિમ યાત્રા માટે શબ વાહીનીમાં સેવા આપતા મુકેશભાઈ કાવર, દશરથભાઈ કાવર તેમજ અબોલ જીવો માટે લાડવા-લાપસી બનાવનાર કેશુભાઈ વિઠ્ઠલાપરા, જગજીવનભાઈ ફુલતરિયા, મગનભાઈ કણજારીયા, નાનજીભાઈ મેરજા તેમજ મોક્ષધામ તેમજ રામવાડીમાં સેવા આપતા કર્મવિરો કાંતિલાલ પાડલિયા,પ્રભુભાઈ ફુલતરિયા, લક્ષ્મણભાઈ કાવર, ધરમશીભાઈ કાવર,વિરજીભાઈ કાવર, નિલેશભાઈ ધોરીયાણી, રામજીભાઈ બોપલીયા, વલમજીભાઈ અંબાણી, સતિષભાઈ ઈશ્વરભાઈ, વિઠ્ઠલભાઈ મેરજા, દેવજીભાઈ ઝાલરીયા, ધીરુભાઈ જગોદરા, દિલીપભાઈ કાલરીયા, દિપકભાઈ ગામી,રાઘવજીભાઈ ગાંડુંભાઈ, ભાણજીભાઈ ધોરીયાણી, તેમજ મહેન્દ્રનગરની જુદી જુદી સોસાયટીમાંથી રોટલા-રોટલી એકત્ર કરી ઓટો રીક્ષામાં ડોલો ભરી ગૌશાળામાં ગૌમાતાને પ્રસાદ આપવાનું સેવાકાર્ય કરતા રણછોડભાઈ ઓડિયા, મનસુખભાઈ ચારોલા, જયંતિભાઈ,ઘનશ્યામભાઈ માલાસણા વગેરે સાડત્રીસ જેટલા કર્મવિરોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી મહેન્દ્રનગર ખાતે રામવાડીમાં સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સિદ્ધાર્થ દેગામી પ્રમુખ સત્ય શોધક સભા-સુરતે અંધશ્રદ્ધા દૂર થાય તેવો કાર્યક્રમ રજૂ કર્યો હતો અને રંગપર ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ આ કર્મવિરોની સેવાને વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી)એ કર્યું હતું




Latest News