વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી ૪ લાખના કોલસાની છેતરપિંડી: બે ટ્રકના ડ્રાઈવરો-માલિકો અને ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર સામે ફરિયાદ


SHARE











નવલખી પોર્ટ ઉપરથી ૪ લાખના કોલસાની છેતરપિંડી: બે ટ્રકના ડ્રાઈવરો-માલિકો અને ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર સામે ફરિયાદ

નવલખી બંદર ઉપર આવતા શ્રીજી શિપિંગ કંપનીના કોલસાના જથ્થામાંથી ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત અંદાજે ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવેલ છે જેથી કરીને જુદા જુદા બે ટ્રકના ડ્રાઈવરો તથા તેના માલિકો અને શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનાર સહિતનાઓની સામે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામખંભાળિયાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૬૦૧ માં રહેતા ઉદયભાઇ દામોદરભાઈ લાલ જાતે લોહાણા (૫૦) એ હાલમાં ટ્રક નં જીજે ૩૬ વી ૩૮૩૮૮ ના ડ્રાઈવર તેમજ માલિક તથા ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૦૦ ના ડ્રાઈવર તથા માલિક તેમજ શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે વિશ્વાસઘાત અને ખેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, નવલખી પોર્ટ ઉપર તેઓની કંપનીનો કોલસો ઉતારવામાં આવે છે અને શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડીંગ સ્લીપના આધારે એન્ટ્રી પાસ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને બે ટ્રકમાં કુલ મળીને ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને લઈ ગયેલ છે જેથી કરીને હાલમાં શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી ૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એસઓજીના પીએસઆઇ કે.આર. કેસરિયાને સોંપવામાં આવી છે






Latest News