મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો હળવદ ટાઉનમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત મોરબીના લાભનગર પાસે બાવળની કાંટમાંથી દારૂની 87 બોટલો ઝડપાઈ, આરોપીની શોધખોળ વાંકાનેરની કોર્ટે કરેલા આદેશની અવગણના કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત


SHARE



















વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભીખાભાઈ જોલપરા ત્યાં મંદિરમાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે






Latest News