મોરબીના માણેકવાડા ગામે સહકારી મંડળીએ ગયા બાદ પતિ-પત્ની ગુમ, યુવાનના પિતાએ પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ-કોલસાના જથ્થા સાથે બે પકડાયા: 80 લાખનો મુદામાલ કબ્જે મોરબીના વોર્ડ નં. 10 માં રસ્તા ઉપર ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પાડવા સ્થાનિક ચારેય કાઉન્સિલરની મેયર-કમિશનર રજૂઆત મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા મોરબીના થોરાળા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ગ્રામજનો સાથે રાત્રીસભા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત


SHARE







વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભીખાભાઈ જોલપરા ત્યાં મંદિરમાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે






Latest News