મોરબીના ખરેડા ગામે કૂતરાએ બચકાં ભરી લેતા 4 વર્ષના બાળકનું મોત​​​​​​​  વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીની આર્ટસ કોલેજમાં NSSના સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ માટે આવી રજૂઆતો કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત


SHARE







વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભીખાભાઈ જોલપરા ત્યાં મંદિરમાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે






Latest News