મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત


SHARE













વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભીખાભાઈ જોલપરા ત્યાં મંદિરમાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે




Latest News