મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો


SHARE











મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો

મુળ નાની દમણનો રહેવાસી ઈન્દલ ગનોરી પાસવાન તથા તેના પૂર્વે પત્ની નામે કિરણદેવી રામસીંગ ભનવરલાલ રહે.એમપી વાળી નામના બંને આરોપીઓ તે પતિ-પત્ની હતા પણ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયેલ હતા.અને આ કિરણદેવીએ બાદમાં મરણ જનાર રામસીંગ ભનવરલાલ સાથે લગ્ન કરેલા હતા.પણ આ આરોપી કિરણદેવી પોતાના પૂર્વે પતિ ઈન્દલ પાસવાનની સાથે મોબાઈલથી વાતચીત કરતી હોવાની શંકા રાખીને મરણ જનાર રામસીંગ તેણી સાથે ઝઘડા કરતા હોય બાદમાં આ કામના ઉપરોકત બંને આરોપીઓ કે જે પૂર્વે પતિ-પત્ની હતાં તેમણે એકસંપ કરીમે આ રામસીંગ ભનવરલાલનું ખૂન કરી નાંખેલ હોવાનો આરોપ લગાવી બંને આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુના રજી. નં.૧૧૧/૨૦૧૯ થી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

જેનું ચાર્જશીટ થઈ જતાં શ્રી મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટે સેસ.કેસ નં.૮૯/૨૦૧૯ નો દાખલ થયેલ હતો.આ બનાવ તે સમયે "ટોક ઓફ ટાઉન" બનેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતિ પુષ્પાબેન ભટ્ટ રોકાએલ હતા. આરોપીઓ સામેનો આ કેસ ચાલી જતાં બચાવ પક્ષના વકીલની કાયદા તથા હકિકતોને લગતી ધારદાર રજુઆત નેક લક્ષમાં લઈનો આ બંને આરોપીઓને શ્રી મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબ આર.જી.દેવધરાએ બંને આરોપીઓને તેઓ સામેના કેસમાં શંકાનો લાભ આપીને બંને આરોપીઓને છોડી મુકવા તા.૧૫-૬-૨૪ ના રોજ હુકમ ફરમાવેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે બચાવપક્ષના વકીલ તરીકે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કે.ભટ્ટ રોકાયેલ હતા.








Latest News