લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો


SHARE

















મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો

મુળ નાની દમણનો રહેવાસી ઈન્દલ ગનોરી પાસવાન તથા તેના પૂર્વે પત્ની નામે કિરણદેવી રામસીંગ ભનવરલાલ રહે.એમપી વાળી નામના બંને આરોપીઓ તે પતિ-પત્ની હતા પણ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયેલ હતા.અને આ કિરણદેવીએ બાદમાં મરણ જનાર રામસીંગ ભનવરલાલ સાથે લગ્ન કરેલા હતા.પણ આ આરોપી કિરણદેવી પોતાના પૂર્વે પતિ ઈન્દલ પાસવાનની સાથે મોબાઈલથી વાતચીત કરતી હોવાની શંકા રાખીને મરણ જનાર રામસીંગ તેણી સાથે ઝઘડા કરતા હોય બાદમાં આ કામના ઉપરોકત બંને આરોપીઓ કે જે પૂર્વે પતિ-પત્ની હતાં તેમણે એકસંપ કરીમે આ રામસીંગ ભનવરલાલનું ખૂન કરી નાંખેલ હોવાનો આરોપ લગાવી બંને આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુના રજી. નં.૧૧૧/૨૦૧૯ થી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

જેનું ચાર્જશીટ થઈ જતાં શ્રી મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટે સેસ.કેસ નં.૮૯/૨૦૧૯ નો દાખલ થયેલ હતો.આ બનાવ તે સમયે "ટોક ઓફ ટાઉન" બનેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતિ પુષ્પાબેન ભટ્ટ રોકાએલ હતા. આરોપીઓ સામેનો આ કેસ ચાલી જતાં બચાવ પક્ષના વકીલની કાયદા તથા હકિકતોને લગતી ધારદાર રજુઆત નેક લક્ષમાં લઈનો આ બંને આરોપીઓને શ્રી મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબ આર.જી.દેવધરાએ બંને આરોપીઓને તેઓ સામેના કેસમાં શંકાનો લાભ આપીને બંને આરોપીઓને છોડી મુકવા તા.૧૫-૬-૨૪ ના રોજ હુકમ ફરમાવેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે બચાવપક્ષના વકીલ તરીકે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કે.ભટ્ટ રોકાયેલ હતા.




Latest News