મોરબીના શિક્ષકનો અનોખો જ્ઞાનયજ્ઞ : 7 સહભાગીઓએ બે માસમાં 100 સુભાષિત યાદ કર્યા, સંસ્કૃત બોર્ડની શતસુભાષિતપંડિત યોજનાને મળ્યો વેગ મોરબીમાં હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) સરકારનો ઉર્ષ મુબારક કાલે ઉજવાશે હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત મોરબીમાં નજીવી વાતમાં દુકાનદારને છરીના માથા, ગળા, પાંસળીમાં ઘા ઝીકનારા શખ્સની ધરપકડ મોરબી નજીક પેપર મિલના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમા હળવદના દેવીપુર ગામ પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રકમાં પાછળ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓને ઇજા મોરબીની મીરા પાર્ક સોસાયટીમાં જુગાર-દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબીના બેલા (આ) ગામે નજીવી વાતમાં વાળા પકડીને યુવાનનું દિવાલમાં માથું અથડાવ્યૂ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામે સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસને શિક્ષક દીકરીઓએ વૃક્ષારોપણ કર્યું


SHARE







ટંકારાના ભૂતકોટડા ગામે સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસને શિક્ષક દીકરીઓેએ વૃક્ષારોપણ કર્યું

ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાએ તેમના સ્વ. પપ્પા મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ હોય, તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું આ માટે શાળામાં ઔષધીય રોપા તેમજ ફૂલછોડના આશરે 50 જેટલા રોપાનું શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકોના સહયોગથી રોપણ કરાવ્યું હતું. સાથોસાથ 'એક બાળ એક ઝાડ' અંતર્ગત ભુતકોટડા ગામમાં જેમની ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનું એક વૃક્ષ વાવવાનું નક્કી કર્યું હતું. ગીતાબેનના પપ્પા તેમના વતન સરપદડમાં શિક્ષક હતા. તેમના જીવનકાળ દરમ્યાન બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમની પાંચેય દીકરીઓ આજે સરકારી ક્ષેત્ર માં અલગ અલગ જગ્યાએ તેમના પગલે ચાલી બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.આજે તેમના સ્વર્ગીય શિક્ષક પપ્પા નો જન્મદિવસ પાંચેય દીકરીઓ એ વૃક્ષારોપણ કરી અલગ રીતે ઉજવણી કરી સમાજ ને એક અલગ રાહ ચીંધી છે.






Latest News