ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામે સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસને શિક્ષક દીકરીઓએ વૃક્ષારોપણ કર્યું


SHARE











ટંકારાના ભૂતકોટડા ગામે સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસને શિક્ષક દીકરીઓેએ વૃક્ષારોપણ કર્યું

ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાએ તેમના સ્વ. પપ્પા મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ હોય, તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું આ માટે શાળામાં ઔષધીય રોપા તેમજ ફૂલછોડના આશરે 50 જેટલા રોપાનું શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકોના સહયોગથી રોપણ કરાવ્યું હતું. સાથોસાથ 'એક બાળ એક ઝાડ' અંતર્ગત ભુતકોટડા ગામમાં જેમની ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનું એક વૃક્ષ વાવવાનું નક્કી કર્યું હતું. ગીતાબેનના પપ્પા તેમના વતન સરપદડમાં શિક્ષક હતા. તેમના જીવનકાળ દરમ્યાન બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમની પાંચેય દીકરીઓ આજે સરકારી ક્ષેત્ર માં અલગ અલગ જગ્યાએ તેમના પગલે ચાલી બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.આજે તેમના સ્વર્ગીય શિક્ષક પપ્પા નો જન્મદિવસ પાંચેય દીકરીઓ એ વૃક્ષારોપણ કરી અલગ રીતે ઉજવણી કરી સમાજ ને એક અલગ રાહ ચીંધી છે.






Latest News