મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?


SHARE

















મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર રોડ રસ્તાની હાલત દયનીય છે અને રસ્તામાં નજીવો વરસાદ પડે ત્યાં ખાડામાં પાણી ભરાઈ જાય છે અને ખાડામાં પાણી ભરાયેલું હોવાના કારણે ખાડા દેખાતા ન હોવાથી નાના મોટા અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તેવી જ રીતે આજે બપોરના સમયે પડેલ નજીવા વરસાદના કારણે મોરબીના ગેસ્ટ હાઉસ રોડથી મંગલભુવન ચોક તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ યુવતીનું એકટીવા ખાડાના કારણે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને માંડ માંડ તે યુવતીએ પોતાનો જીવ બતાવ્યો હતો પરંતુ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં પડેલા ખાડાના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્રએ નક્કી કરી લેવાની જરૂર છે. કારણ કે હર હંમેશ આપણે છેલ્લી મોટી દુર્ઘટનાઓમાં જોતા આવ્યા છીએ કે, દુર્ઘટના બની જાય ત્યાર પછી દોષિત કોણ જવાબદાર કોણ આવા કર્ણક પ્રશ્નો હોય છે તેના જવાબ મળતા નથી ત્યારે મોરબી શહેરના ભાંગેલા તૂટેલા રસ્તાના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિત કરી લેવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.




Latest News