વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?


SHARE











મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર રોડ રસ્તાની હાલત દયનીય છે અને રસ્તામાં નજીવો વરસાદ પડે ત્યાં ખાડામાં પાણી ભરાઈ જાય છે અને ખાડામાં પાણી ભરાયેલું હોવાના કારણે ખાડા દેખાતા ન હોવાથી નાના મોટા અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તેવી જ રીતે આજે બપોરના સમયે પડેલ નજીવા વરસાદના કારણે મોરબીના ગેસ્ટ હાઉસ રોડથી મંગલભુવન ચોક તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ યુવતીનું એકટીવા ખાડાના કારણે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને માંડ માંડ તે યુવતીએ પોતાનો જીવ બતાવ્યો હતો પરંતુ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં પડેલા ખાડાના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્રએ નક્કી કરી લેવાની જરૂર છે. કારણ કે હર હંમેશ આપણે છેલ્લી મોટી દુર્ઘટનાઓમાં જોતા આવ્યા છીએ કે, દુર્ઘટના બની જાય ત્યાર પછી દોષિત કોણ જવાબદાર કોણ આવા કર્ણક પ્રશ્નો હોય છે તેના જવાબ મળતા નથી ત્યારે મોરબી શહેરના ભાંગેલા તૂટેલા રસ્તાના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિત કરી લેવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.






Latest News