મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?


SHARE











મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર રોડ રસ્તાની હાલત દયનીય છે અને રસ્તામાં નજીવો વરસાદ પડે ત્યાં ખાડામાં પાણી ભરાઈ જાય છે અને ખાડામાં પાણી ભરાયેલું હોવાના કારણે ખાડા દેખાતા ન હોવાથી નાના મોટા અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તેવી જ રીતે આજે બપોરના સમયે પડેલ નજીવા વરસાદના કારણે મોરબીના ગેસ્ટ હાઉસ રોડથી મંગલભુવન ચોક તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ યુવતીનું એકટીવા ખાડાના કારણે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને માંડ માંડ તે યુવતીએ પોતાનો જીવ બતાવ્યો હતો પરંતુ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં પડેલા ખાડાના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્રએ નક્કી કરી લેવાની જરૂર છે. કારણ કે હર હંમેશ આપણે છેલ્લી મોટી દુર્ઘટનાઓમાં જોતા આવ્યા છીએ કે, દુર્ઘટના બની જાય ત્યાર પછી દોષિત કોણ જવાબદાર કોણ આવા કર્ણક પ્રશ્નો હોય છે તેના જવાબ મળતા નથી ત્યારે મોરબી શહેરના ભાંગેલા તૂટેલા રસ્તાના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિત કરી લેવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.






Latest News