મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જની વરણી


SHARE











મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જની વરણી

મોરબી પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ, નગરપાલિકા ઇન્ચાર્જ તેમજ જિલ્લા મહામંત્રીની વરણી કરવામાં આવલ છે.

થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની હાજરી નયા હોદેદારો તેમજ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીનોને ધ્યાને રાખીને આપ મજબૂત બને તે માટે મોરબી જિલ્લા આપ ના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ચતુરભાઈ પટેલ, નગરપાલિકા ઇન્ચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયા તેમજ જિલ્લા મહામંત્રી તરીકે પંકજભાઈ આદ્રોજાની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મહાદેવભાઈ ચતુરભાઈ પટેલ પહેલા જિલ્લાના પ્રમુખ હતા અને વસંતભાઈ ગોરીયા અગાઉ બે વખત મોરબી પાલિકાની ચૂંટણી જીત્યા હતા જેથી તેઓને આ જવાબદારી આપવામાં આવેલ છે.






Latest News