મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે
SHARE
મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે
મોરબી માળિયા (મી.) રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી એપ્રિલ મહિનામાં આ સભા યોજાશે જેમાં નવા ટ્રસ્ટની ચૂંટણી માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
મોરબી માળિયા (મી.) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૫ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ વાગ્યે રામઘાટ સ્થિત રામાનંદ ભવન, મોરબી ખાતે યોજાનાર છે. આ સભામાં સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમજ નવા ટ્રસ્ટની ચૂંટણી માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અંગે રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી સમાજના તમામ સભાસદોને અનિવાર્ય રીતે સભામાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત તા. ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે સમાજના જરૂરી મુદ્દાઓ અંગે વધુ ચર્ચા કરવા માટે અલગ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સમાજના તમામ ભાઈઓ અને બહેનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









