મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરની ભાટીય સોસાયટીમાં રહેતા યુવાનને સાત આઠ મહિના પહેલા વાહનની લે વેચના પૈસા બાબતે બાબતે મારામારી થઈ હતી જે બાબતને લઈને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મંદિર પાસે રહેતા સંજયભાઈ રાણાભાઇ ખાંડેખાં (32)એ  હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા, શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓને આરોપી સાથે અગાઉ સાત-આઠ મહિના પહેલા વાહન લે વેચના પૈસા બાબતે મારા મારી થઈ હતી જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ સ્વિફ્ટ અને બલેનો ગાડીમાં આવ્યા હતા અને સાહેહરેશભાઈને હરપાલસિંહ ઝાલાએ છરી મારીને ઇજા કરી હતી જ્યારે શિવરાજસિંહ ઝાલાએ સ્વીફ્ટ ગાડી મારી નાખવાના ઇરાદે ચલાવીને સાહેને ડફેટ લઈને નાની મોટી ઇજાઓ કરી હતી જો કે, બાકીના આરોપીઓએ ફરિયાદી સહિતના સાહેદોને ગાળો આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જયારે સામાપક્ષેથી વઘાસિય ગામે રહેતા શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (30)એ હાલમાં સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા, બળદેવભાઈ રાણાભાઇ ખાંડેખા, હરેશભાઈ રાણાભાઇ ખાંડેખા, અંકુર રાજગોર, શિવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત ખેંગારભાઈ રાજગોર અને રમેશભાઈ ધીરુભાઈ રાજગોર રહે. તમામ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સાહેહરપાલસિંહને આરોપી સંજયભાઈ ખાંડેખા સાથે સાત-આઠ મહિના પહેલા વાહનની લે વેચ ના પૈસા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવનો ખાર રાખીને ફરિયાદીની સ્વિફ્ટ  કારના આગળ અને પાછળના કાચમાં ધોકા અને પાઇપ મારીને ગાળો આપી હતી અને વાહનમાં નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News