હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: ‘લૂ’ થી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE













મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: લૂથી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ

આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ અને હીટવેવની સંભાવના વધી છે. આ ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને લૂથી બચવા અને જરૂરી સાવચેતી રાખવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી ખાસ અપીલ કરવામાં આવી છે.

 ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું (ડીહાઈડ્રેશન), અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે આંખે અંધારા આવવા જેવા લક્ષણો લૂ’ (હીટ સ્ટ્રોક) ની નિશાની હોઈ શકે છે. આથી, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને બચાવના ઉપાયો તરીકે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા તેમજ ટોપી, ચશ્માં કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. દિવસ દરમિયાન સતત પાણી, લીંબુ શરબત, છાશ કે ઓ.આર.એસ. (ORS) નું સેવન કરી શરીરને હાઈડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે.

વધુમાં, ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખતા બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ટાળવો અને ભૂખ્યા પેટે બહાર ન નીકળવું હિતાવહ છે. ચા, કોફી અને વ્યસનથી દૂર રહી તાજા ફળોના રસનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોએ ગરમીમાં વિશેષ કાળજી લેવી. કોઈ પણ શારીરિક અસ્વસ્થતા જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ દ્વારા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.






Latest News