મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા બાળકનું બીમારી સબબ મોત


SHARE





મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા બાળકનું બીમારી સબબ મોત

મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા બાળકનું બીમારી સબબ મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં ચાંદીપુરા વાયરસ સહિતના રોગચાળાના કારણે બાળકોના મૃત્યુ થતા હોય તેવું સામે આવી રહ્યું છે તેવામાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ એલાઈવ સીરામીકના લેબલ કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બુર્જુભાઈનો 15 વર્ષનો દીકરો લક્ષ્મણ લેબર કવાર્ટરમાં હતો દરમિયાન બીમારી સબબ તે બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

દીકરાએ માર માર્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા જશુબેન કરસનભાઈ સોલંકી (55) નામના મહિલાને તેના પુત્રએ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા નાગજીભાઈ કરમશીભાઈ (45) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર.સારદીય દ્વારા કરવામાં આવી હતી.




Latest News