મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીમાંથી આધેડનું અપહરણ કરીને પાઇપ વડે માર માર્યો


SHARE













મોરબીમાંથી આધેડનું અપહરણ કરીને પાઇપ વડે માર માર્યો

મોરબીમાં ભળીયાદ કાંટા નજીક ઉભેલા આધેડનું અપહરણ કરીને તેને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા જેસંગ લાલજી ચૌહાણ (53) નામના આધેડ ભડિયાદ કાંટા નજીક આવેલ જીજે 36 પાનની દુકાન પાસે હતા ત્યારે દુખેડો (સિરાજ) ના માણસોએ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને પાઇપ વડે માર માર્યો હોવાથી ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ રામદેવનગર સોસાયટીમાં રહેતા કરમશીભાઈ ગોવાભાઇ પરમાર (52નામના આધેડ સોઓરડી મેઇન રોડ ઉપરથી બાઇક લઈને જતાં હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી આધેડને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને માર માર્યો

મોરબીમાં શોભેશ્વર નજીક રહેતા શીતલબેન રમેશભાઈ મુલાણી (21) નામની મહિલાને ત્રાજપર ચોકડી પાસે આવેલ શીતલ પાન પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News