લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !


SHARE

















મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !

મોરબીના બાયપાસ રોડ ઉપર ગટરના ઢાંકણા નથી અને તેના માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા ઢાંકણા નાખવામાં આવેલ નથી જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ત્યારે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ન હતું ત્યારે ભાજપનો ઝંડો લાગાવવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, છેલ્લા 10 વર્ષથી રોડ બની ગયેલ છે જો કે, આ મહત્વના રોડ ઉપર આવેલ ગટરના ઢાંકણા નથી ! જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે સૌથી મોટો સવાલ છે. અને ભાજપની સરકાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગટરના ઢાંકણામાં કરતી હોય તેવું મોરબીની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે. જેથી કરીને 10 ઓગસ્ટ સુધીનું પાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ દ્વારસ ગટરના ઢાંકણા નાખવા માટે તા 11 ઓગસ્ટથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મનોજભાઇ પનારા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા




Latest News