વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !


SHARE











મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !

મોરબીના બાયપાસ રોડ ઉપર ગટરના ઢાંકણા નથી અને તેના માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા ઢાંકણા નાખવામાં આવેલ નથી જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ત્યારે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ન હતું ત્યારે ભાજપનો ઝંડો લાગાવવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, છેલ્લા 10 વર્ષથી રોડ બની ગયેલ છે જો કે, આ મહત્વના રોડ ઉપર આવેલ ગટરના ઢાંકણા નથી ! જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે સૌથી મોટો સવાલ છે. અને ભાજપની સરકાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગટરના ઢાંકણામાં કરતી હોય તેવું મોરબીની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે. જેથી કરીને 10 ઓગસ્ટ સુધીનું પાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ દ્વારસ ગટરના ઢાંકણા નાખવા માટે તા 11 ઓગસ્ટથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મનોજભાઇ પનારા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News