મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત


SHARE













મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક અગાઉ નંદકુવરબા ધર્મશાળા હતી તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને આ રેન બસેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ કલેક્ટરને હાલમાં રેન બસેરા ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેને ગરીબ લોકોને આશરો મળે તે માટે ચાલુ કરવામાં આવેલ નથી અને બે વર્ષથી આ રેન બસેરા બંધ છે જેથી કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મિલકત ઉપયોગ વગર પડી રહે અને ખરાબ થાય તેવી શકયતા છે જેથી કરીને કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાને તેની સંચાલન સોપીને ત્યાં રેન બસેરા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. 








Latest News