વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત


SHARE











મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક અગાઉ નંદકુવરબા ધર્મશાળા હતી તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને આ રેન બસેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ કલેક્ટરને હાલમાં રેન બસેરા ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેને ગરીબ લોકોને આશરો મળે તે માટે ચાલુ કરવામાં આવેલ નથી અને બે વર્ષથી આ રેન બસેરા બંધ છે જેથી કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મિલકત ઉપયોગ વગર પડી રહે અને ખરાબ થાય તેવી શકયતા છે જેથી કરીને કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાને તેની સંચાલન સોપીને ત્યાં રેન બસેરા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News