મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા


SHARE

















મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વરસાદી પાણી ત્રણ દિવસથી ખેતરમાં ભરાયેલા હોવાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થયા હતા જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે અને મોરબી જિલ્લામાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ પાકમાં ત્રણ ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં મોરબી જિલ્લામાં નુકસાન થયું છે

આ બાબતે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે તેઓએ માળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે ખેડૂતોના ખેતરમાં લગભગ એકાદ ફૂટ જેટલા પાણી ભરેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનનો આગામી બે દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓને સહાય મળે તેવી વ્યવસ્થા કરાશે તેવી તેમને માહિતી આપી હતી.

માળીયા તાલુકાના રાસંગપર ગામના સરપંચ અશોકભાઇ દેવજીભાઇ ઘુમલીયા અને ભરતભાઇ ખોખરે જણાવ્યું હતું કે, મચ્છુ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણી માળીયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે જેમાં રાસંગપર, નવાગામ ફતેપુર, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા માળિયાની આસપાસના વિસ્તારમાં ખેતરોની અંદર મચ્છુના પાણી પહોંચી ગયા હતા જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આવી જ રીતે મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોના ઉભા પાકને બહુ મોટું નુકસાન હોવાનું ખેડૂતોમાં રહ્યું છે.




Latest News