વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા મોરબી મહાપાલિકા-જીલ્લા પંચાયતના નવા સીમાંકન અને નકશાની આપ દ્વારા કલેક્ટર પાસે કરાઇ માંગણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા


SHARE















મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વરસાદી પાણી ત્રણ દિવસથી ખેતરમાં ભરાયેલા હોવાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થયા હતા જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે અને મોરબી જિલ્લામાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ પાકમાં ત્રણ ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં મોરબી જિલ્લામાં નુકસાન થયું છે

આ બાબતે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે તેઓએ માળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે ખેડૂતોના ખેતરમાં લગભગ એકાદ ફૂટ જેટલા પાણી ભરેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનનો આગામી બે દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓને સહાય મળે તેવી વ્યવસ્થા કરાશે તેવી તેમને માહિતી આપી હતી.

માળીયા તાલુકાના રાસંગપર ગામના સરપંચ અશોકભાઇ દેવજીભાઇ ઘુમલીયા અને ભરતભાઇ ખોખરે જણાવ્યું હતું કે, મચ્છુ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણી માળીયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે જેમાં રાસંગપર, નવાગામ ફતેપુર, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા માળિયાની આસપાસના વિસ્તારમાં ખેતરોની અંદર મચ્છુના પાણી પહોંચી ગયા હતા જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આવી જ રીતે મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોના ઉભા પાકને બહુ મોટું નુકસાન હોવાનું ખેડૂતોમાં રહ્યું છે.






Latest News