મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા


SHARE













મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વરસાદી પાણી ત્રણ દિવસથી ખેતરમાં ભરાયેલા હોવાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થયા હતા જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે અને મોરબી જિલ્લામાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ પાકમાં ત્રણ ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં મોરબી જિલ્લામાં નુકસાન થયું છે

આ બાબતે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે તેઓએ માળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે ખેડૂતોના ખેતરમાં લગભગ એકાદ ફૂટ જેટલા પાણી ભરેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનનો આગામી બે દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓને સહાય મળે તેવી વ્યવસ્થા કરાશે તેવી તેમને માહિતી આપી હતી.

માળીયા તાલુકાના રાસંગપર ગામના સરપંચ અશોકભાઇ દેવજીભાઇ ઘુમલીયા અને ભરતભાઇ ખોખરે જણાવ્યું હતું કે, મચ્છુ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણી માળીયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે જેમાં રાસંગપર, નવાગામ ફતેપુર, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા માળિયાની આસપાસના વિસ્તારમાં ખેતરોની અંદર મચ્છુના પાણી પહોંચી ગયા હતા જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આવી જ રીતે મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોના ઉભા પાકને બહુ મોટું નુકસાન હોવાનું ખેડૂતોમાં રહ્યું છે.




Latest News