મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર સાથે પાણીમાં તણાઈ ગયેલા આઠ પૈકીનાં સાતના મૃતદેહ મળ્યા, મૃતકના પરિવારને મળશે 4-4 લાખની સહાય


SHARE













હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર સાથે પાણીમાં તણાઈ ગયેલા આઠ પૈકીનાં સાતના મૃતદેહ મળ્યા, મૃતકના પરિવારને મળશે 4-4 લાખની સહાય

હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાઈ જવાથી આઠ વ્યક્તિ લાપતા થયા હતા જેમાંથી સાત વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા છે જો કે એક વ્યક્તિ હજી પણ લાપતા છે જેથી તેને શોધવા માટે એનડીઆરએફની ટીમ ચાર બોટ સાથે તે વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવેલ છે અને મૃતકોને સરકાર તરફથી ચાર ચાર લાખની સહાય આપવામાં આવશે.

ગત રવિવારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના ઢવાણા થી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા કોઝવેમાં વરસાદી પાણી આવી ગયું હતું ત્યારે ટ્રેક્ટરમાં ડ્રાઇવર સહિત કુલ મળીને 17 વ્યક્તિઓ જુના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જઈ રહ્યા હતા અને આ ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું જે પૈકીના નવ વ્યક્તિઓને તાત્કાલિક બચાવવામાં આવ્યા હતા જોકે પાંચ બાળકો, બે મહિલા અને એક પુરુષ આમ કુલ મળીને આઠ વ્યક્તિઓ પાણીમાં તણાઈ ગયા હતા જેને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી

દરમિયાન ગઈકાલે બપોર પછીના સમયગાળા દરમિયાન આઠ પૈકીના ત્રણ વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા ત્યાર બાદ આજે વધુ ચાર લોકોના મૃતદેહ મળી આવેલ છે જોકે હજુ એક વ્યક્તિઓ લાપતા છે જેને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું કે ઢવાણા ગામ પાસે બનેલી દુઃખદ દુર્ઘટનામાં જે વ્યક્તિઓ હજુ પણ મિસિંગ છે તેને શોધવા માટે તેને એનડીઆરએફની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે. અને મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

કોના કોના મૃતદેહ મળ્યા ?

ઢવાણા ગામે પાણી તણાઇ ગયેલા આઠ પૈકીના સાત લોકોના મૃતદેહ મળી આવેલ છે જેમાં અશ્વિનભાઈ રાઠોડ (28) રહે. જોરાવરનગરઆશિષભાઈ સુરેશભાઈ બારોટ (12) રહે. નવા ઢવાણારાજુબેન ગણપતભાઈ બારોટ (45) રહે. નવા ઢવાણાવિજયભાઈ સુરેશભાઈ બારોટ (19) રહે. નવા ઢવાણાગીતાબેન સુરેશભાઈ બારોટ (16) રહે. નવા ઢવાણાજાનકીબેન પ્રવીણભાઈ મકવાણા (32) રહે. નવા ઢવાણા અને રામદેવ પ્રવીણભાઈ મકવાણા (14) રહે. નવા ઢવાણા વાળાનો સમાવેશ થાય છે જો કે, હજુ જીનલ મહેશભાઈ બારોટ (6) રહે. પાટડી નો પત્તો લાગેલ નથી






Latest News