મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના


SHARE











માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના

મોરબી જિલ્લામાં માળિયા તાલુકાની અંદર પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને લોકોના ઘર અને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી ચાવડા અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા અને અસરગ્રસ્તોને લાઈટ, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક મળે તેના માટે અધિકારીને સૂચના આપી હતી.

મોરબી જિલ્લામાં ગત સોમવાર અને મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે માળિયા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખાસ કરીને માળીયા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા અને લગભગ પાંચથી સાત ફૂટ જેટલું પાણી માળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હતું જેથી કરીને લોકોને ઘરવખરીમાં તેઓની દુકાનોમાં તેઓના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ ઉપરાંત આ સમગ્ર વિસ્તારની અંદર પાણીની સપ્લાય કરવા માટેનો જે ખીરાઈ પાસે સંપ આવેલ છે તે સંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી કરીને પાણીની સપ્લાય પણ 30 જેટલા ગામમાં બંધ થયેલ છે

ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માળીયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણિભાઈ સરડવા, માળીયા શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને સાંસદ અસરગ્રસ્ત પરિવારોના લોકોને મળ્યા હતા અને માળીયા તાલુકામાં પૂરના અસરગ્રસ્ત લોકોને ઝડપથી સરકારી સહાય મળે તેની સાથોસાથ લાઈટ, પાણી, રોડ રસ્તાની સુવિધાઓ મળતી થઈ જાય તેના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.






Latest News