મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના


SHARE











માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના

મોરબી જિલ્લામાં માળિયા તાલુકાની અંદર પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને લોકોના ઘર અને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી ચાવડા અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા અને અસરગ્રસ્તોને લાઈટ, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક મળે તેના માટે અધિકારીને સૂચના આપી હતી.

મોરબી જિલ્લામાં ગત સોમવાર અને મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે માળિયા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખાસ કરીને માળીયા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા અને લગભગ પાંચથી સાત ફૂટ જેટલું પાણી માળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હતું જેથી કરીને લોકોને ઘરવખરીમાં તેઓની દુકાનોમાં તેઓના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ ઉપરાંત આ સમગ્ર વિસ્તારની અંદર પાણીની સપ્લાય કરવા માટેનો જે ખીરાઈ પાસે સંપ આવેલ છે તે સંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી કરીને પાણીની સપ્લાય પણ 30 જેટલા ગામમાં બંધ થયેલ છે

ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માળીયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણિભાઈ સરડવા, માળીયા શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને સાંસદ અસરગ્રસ્ત પરિવારોના લોકોને મળ્યા હતા અને માળીયા તાલુકામાં પૂરના અસરગ્રસ્ત લોકોને ઝડપથી સરકારી સહાય મળે તેની સાથોસાથ લાઈટ, પાણી, રોડ રસ્તાની સુવિધાઓ મળતી થઈ જાય તેના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.






Latest News