ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના


SHARE











માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના

મોરબી જિલ્લામાં માળિયા તાલુકાની અંદર પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને લોકોના ઘર અને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી ચાવડા અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા અને અસરગ્રસ્તોને લાઈટ, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક મળે તેના માટે અધિકારીને સૂચના આપી હતી.

મોરબી જિલ્લામાં ગત સોમવાર અને મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે માળિયા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખાસ કરીને માળીયા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા અને લગભગ પાંચથી સાત ફૂટ જેટલું પાણી માળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હતું જેથી કરીને લોકોને ઘરવખરીમાં તેઓની દુકાનોમાં તેઓના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ ઉપરાંત આ સમગ્ર વિસ્તારની અંદર પાણીની સપ્લાય કરવા માટેનો જે ખીરાઈ પાસે સંપ આવેલ છે તે સંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી કરીને પાણીની સપ્લાય પણ 30 જેટલા ગામમાં બંધ થયેલ છે

ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માળીયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણિભાઈ સરડવા, માળીયા શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને સાંસદ અસરગ્રસ્ત પરિવારોના લોકોને મળ્યા હતા અને માળીયા તાલુકામાં પૂરના અસરગ્રસ્ત લોકોને ઝડપથી સરકારી સહાય મળે તેની સાથોસાથ લાઈટ, પાણી, રોડ રસ્તાની સુવિધાઓ મળતી થઈ જાય તેના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.






Latest News