મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

એક પેડ માઁ કે નામ: મોરબીની સીટી ડિસ્પેન્સરીમાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં વૃક્ષા રોપણ કરાયું


SHARE











એક પેડ માઁ કે નામ: મોરબીની સીટી ડિસ્પેન્સરીમાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં વૃક્ષા રોપણ કરાયું

મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ સીટી ડિસ્પેન્સરી દેખાશે આજે એક પેડ માઁ કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તથા ધારાસભ્ય અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મોરબી શહેર તથા જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે આગેવાનોએ અપીલ કરી હતી 

વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માઁ કે નામ કાર્યક્રમ થકી દેશભરમાં વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જેથી  ગામે ગામ અવે ઘેર-ઘેર વૃક્ષારોપણના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના વીસીપરા ફાટક આવેલ સીટી ડિસ્કવરી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક પેડ માઁ કે નામ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા હાજર રહ્યા હતા. 

તેમની સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પી. કે. દુધરેજીયા સહિતના અધિકારીઓને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે પરસોત્તમ રૂપાલા સહિતનાઓએ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું અને મોરબી શહેર તથા જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે ધારાસભ્ય અને સાંસદ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને જે વૃક્ષારોપણ કરવામાં આવે તેનુ જતન કરવાની ટકોર કરી હતી.






Latest News