મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી એબીવીપી દ્વારા ઊમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધીની રેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીની પી.જી. પટેલ કોલેજ, ઓમવીવીઆઇએમ કોલેજ, નવયુગ કોલેજ તેમજ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. અને જેમાં પી.જી.પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ ઝાલા અને મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર અને મંત્રી તરીકે રમેશભાઈ આહીર, નવયુગ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસણા અને મંત્રી તરીકે મિતભાઈ મનીપરા, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે આર્યદીપસિંહ રાઠોડ અને મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. અને આગામી સમયમાં કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવશે તેવું આગેવાને જણાવ્યુ છે.








Latest News