મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો


SHARE











ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો

મોરબીના ગૌરક્ષકોને માહિત મળી હતી કે કચ્છથી જામનગર તરફ જતી ટ્રકમાં 90 પાડાને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને મળેલ માહિતી મુજબની ટ્રક ટંકારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકીને ચેક કરી હતી જેથી તે ટ્રકમાંથી 90 પાડા મળી આવ્યા હતા જેથી કરીને ટ્રક સહિતનો મુદામાલ હાલમાં ગૌરક્ષકો દ્વારા ટંકારા પોલીસને આપવામાં આવેલ છે.

મોરબીના ગૌરક્ષક અને હિંદુ યુવા વાહિની ટીમને માહિત મળી હતી કે, કચ્છ બાજુથી ટ્રકમાં અબોલજીવને કતલખાને જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી, વાંકાનેર અને કચ્છના ગૌરક્ષકોની ટીમે વોચમાં હતી તેવામાં કચ્છ માળિયા હાઈવે થઈને જામનગર બાજુ જતી ટ્રકને ટંકારા નજીક રોકવામાં આવી હતી અને ટ્રકની ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી 90 પાડા મળી આવ્યા હતા માટે અબોલજીવ તેમજ ટ્રક સહિતનો મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે. આ તકે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠનના મંત્રી અને હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ  બોરીચા તથા ચેતનભાઇ પાટડીયા, હિતરાજસિંહ પરમાર, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ, મનીષભાઈ કંઝારીયા, દીપકભાઈ રાજગોર, લાલાભાઇ ભરવાડ, મીતભાઈ ગોહિલ, પ્રિન્સભાઈ દરજી, જયરાજસિંહ ઝાલા, દિનેશ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રધુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી






Latest News