મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો


SHARE











ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો

મોરબીના ગૌરક્ષકોને માહિત મળી હતી કે કચ્છથી જામનગર તરફ જતી ટ્રકમાં 90 પાડાને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને મળેલ માહિતી મુજબની ટ્રક ટંકારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકીને ચેક કરી હતી જેથી તે ટ્રકમાંથી 90 પાડા મળી આવ્યા હતા જેથી કરીને ટ્રક સહિતનો મુદામાલ હાલમાં ગૌરક્ષકો દ્વારા ટંકારા પોલીસને આપવામાં આવેલ છે.

મોરબીના ગૌરક્ષક અને હિંદુ યુવા વાહિની ટીમને માહિત મળી હતી કે, કચ્છ બાજુથી ટ્રકમાં અબોલજીવને કતલખાને જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી, વાંકાનેર અને કચ્છના ગૌરક્ષકોની ટીમે વોચમાં હતી તેવામાં કચ્છ માળિયા હાઈવે થઈને જામનગર બાજુ જતી ટ્રકને ટંકારા નજીક રોકવામાં આવી હતી અને ટ્રકની ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી 90 પાડા મળી આવ્યા હતા માટે અબોલજીવ તેમજ ટ્રક સહિતનો મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે. આ તકે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠનના મંત્રી અને હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ  બોરીચા તથા ચેતનભાઇ પાટડીયા, હિતરાજસિંહ પરમાર, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ, મનીષભાઈ કંઝારીયા, દીપકભાઈ રાજગોર, લાલાભાઇ ભરવાડ, મીતભાઈ ગોહિલ, પ્રિન્સભાઈ દરજી, જયરાજસિંહ ઝાલા, દિનેશ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રધુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી






Latest News