ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લામાં હત્યાના બનાવો જાણે કે રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકામાં ખાણના સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું અને તેનો ખાર રાખીને યુવાનની આઠ જેટલા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ભીમગુડા ગામે રહેતા પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી પથ્થર કાઢી વેપાર કરતા મૂળ ભાણવડ તાલુકના કાટકોણ ગામના રહેવાસી અને હાલમાં કુવાડવા ગામે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર (43)એ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ મળીને આઠ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને તથા તેના ભાઈ જે હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહે છે તે સામતભાઈ નગાભાઈ કરમુર (40)ને ખાણ બાબતે તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે મનદુઃખ હતું તેવામાં સોમવારે રાત્રીના સામતભાઈ પાડધરા ચોકડી પાસે હતા ત્યારે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો બે કાર લઈને ત્યાં આવ્યા હતા અને સામતભાઈને ગાળો આપી હતી ત્યાર બાદ લાકડાના ધોકા તથા પાઈપ વડે માર માર્યો હતો જેથી કરીને સામતભાઈને ગંભીર ઈજા થયેલ હોય તેનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે. અને આ કેસની તપાસ વાંકાનેરના પીઆઇ ડી.વી. ખરાડી અને તેની ટિમ ચલાવી રહી છે.






Latest News