મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો


SHARE















મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લામાં હત્યાના બનાવો જાણે કે રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકામાં ખાણના સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું અને તેનો ખાર રાખીને યુવાનની આઠ જેટલા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ભીમગુડા ગામે રહેતા પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી પથ્થર કાઢી વેપાર કરતા મૂળ ભાણવડ તાલુકના કાટકોણ ગામના રહેવાસી અને હાલમાં કુવાડવા ગામે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર (43)એ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ મળીને આઠ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને તથા તેના ભાઈ જે હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહે છે તે સામતભાઈ નગાભાઈ કરમુર (40)ને ખાણ બાબતે તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે મનદુઃખ હતું તેવામાં સોમવારે રાત્રીના સામતભાઈ પાડધરા ચોકડી પાસે હતા ત્યારે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો બે કાર લઈને ત્યાં આવ્યા હતા અને સામતભાઈને ગાળો આપી હતી ત્યાર બાદ લાકડાના ધોકા તથા પાઈપ વડે માર માર્યો હતો જેથી કરીને સામતભાઈને ગંભીર ઈજા થયેલ હોય તેનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે. અને આ કેસની તપાસ વાંકાનેરના પીઆઇ ડી.વી. ખરાડી અને તેની ટિમ ચલાવી રહી છે.






Latest News