મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લામાં હત્યાના બનાવો જાણે કે રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકામાં ખાણના સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું અને તેનો ખાર રાખીને યુવાનની આઠ જેટલા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ભીમગુડા ગામે રહેતા પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી પથ્થર કાઢી વેપાર કરતા મૂળ ભાણવડ તાલુકના કાટકોણ ગામના રહેવાસી અને હાલમાં કુવાડવા ગામે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર (43)એ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ મળીને આઠ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને તથા તેના ભાઈ જે હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહે છે તે સામતભાઈ નગાભાઈ કરમુર (40)ને ખાણ બાબતે તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે મનદુઃખ હતું તેવામાં સોમવારે રાત્રીના સામતભાઈ પાડધરા ચોકડી પાસે હતા ત્યારે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો બે કાર લઈને ત્યાં આવ્યા હતા અને સામતભાઈને ગાળો આપી હતી ત્યાર બાદ લાકડાના ધોકા તથા પાઈપ વડે માર માર્યો હતો જેથી કરીને સામતભાઈને ગંભીર ઈજા થયેલ હોય તેનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે. અને આ કેસની તપાસ વાંકાનેરના પીઆઇ ડી.વી. ખરાડી અને તેની ટિમ ચલાવી રહી છે.






Latest News