મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE







છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે. દાવપારા ચોક પાસે તા.જી. મુંગેરી છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ હતી કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ (55) રહે. દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી વાળા અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઇ તા.23/10/24 ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ હતા અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી અને રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં વૃદ્ધા હોવાની હકીકત મળતા મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તાલુકાની ટીમના અશ્વિનભાઈ ઝાંપડીયા, વિજયભાઈ ગોલતર અને ખમાબેન બગોદરીયા ત્યાં પહોચ્યા હતા અને ખરાઇ કરતા વૃદ્ધા ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને તેનું મોરબી તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું






Latest News