ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE















છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે. દાવપારા ચોક પાસે તા.જી. મુંગેરી છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ હતી કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ (55) રહે. દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી વાળા અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઇ તા.23/10/24 ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ હતા અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી અને રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં વૃદ્ધા હોવાની હકીકત મળતા મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તાલુકાની ટીમના અશ્વિનભાઈ ઝાંપડીયા, વિજયભાઈ ગોલતર અને ખમાબેન બગોદરીયા ત્યાં પહોચ્યા હતા અને ખરાઇ કરતા વૃદ્ધા ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને તેનું મોરબી તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું






Latest News