મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું


SHARE







હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું

રાજ્યની સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળા હળવદમાં આવેલ છે અને પીએમશ્રી પે.સે. શાળા ખાતે અંદાજે ૧૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે બની રહેલ ૮૦-૩૫ ફૂટની લંબાઈ-પહોળાઈ ધરાવતા નવ નિર્મિત પ્રાર્થના હોલ માટે વિવિધ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો જેમાં સૌથી મોટો આર્થિક સહયોગ શાળાના શિક્ષિકા જાગૃતિબેન જોબનપુત્રાના પ્રયત્નોથી મળેલ છે અને 7 લાખ રૂપિયા ત્રીભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા (દાસ બાપા પરિવાર), શાળા નંબર-૪ ના સર્વ શિક્ષક પરિવાર તરફથી 5.51 લાખ રૂપિયા, 2.11 લાખ રૂપિયા મહાદેવનગર હળવદના નિવાસી સ્વ.રણછોડભાઈ ત્રિભોવનભાઈ પારેજીયાના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી અને 31 હજાર રૂપિયા ધર્મેન્દ્ર ચમનલાલ ગોઠી હળવદ વાળે આપેલ છે જેથી શાળાના આચાર્ય રમેશભાઈ હડિયલ તથા શાળા પરિવારે સર્વ દાતાઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.






Latest News