મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું


SHARE













વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું

વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબા અમરનાથના દર્શનનું શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં વાંકાનેર શહેર વિસ્તારમાંથી ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધેલ હતો. અને બ્રહ્માકુમારીના બહેનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે શિવરાત્રીના દિવસે ત્યાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના બી.કે. શૈલા દીદી, સારિકા દીદી તથા વિધાલયમાં આવતાં સર્વ ભાઈ બહેનો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ દર્શનનું આયોજન કરાયું હતું અને ત્યારે સ્વર્ણિમ ભારત શોપિંગ મોલ, જલધારા, શિવ શંકરની ઝાંખી, ત્રિવેણી સંગમ મહાકુંભ, મહાકાલ, અમરનાથ મહાદેવ તથા પ્રોજેક્ટર શો નું આયોજન કર્યું હતું






Latest News