મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો

માળીયા (મી)ના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા ખેડૂતો દ્વારા જીરૂનો પાક મહામહેનત કરીને લેવામાં આવ્યો હતો અને તે તૈયાર જીરૂના પાક ઉપર સોમવારે બપોરના સમયે આ જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી જેથી લગભગ એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે ભોગ બનેલા ખેડૂતની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા (મી)ના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા રતિલાલ નરસીભાઇ દસાડીયા દ્વારા જીરૂના પાકની ખેતી કરવામાં આવી હતી અને તેઓએ અંદાજે એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લીધો હતો અને તે તૈયાર પાક ત્યાં રાખવામાં આવ્યો હતો દરમિયાન સોમવારે બપોરે 11 થી 12 વાગ્યાના અરસામાં વિશાલનગર ખાતે જ રહેતા જયસુખભાઇ જયંતિભાઇ સીસણોદા નામના શખ્સે ત્યાં આવીને જીરૂના પાકનો જે ઢગલો કરવામાં આવ્યો હતો ત્યાં આગ ચાંપી દેવામાં આવી હતી જેથી રતિલાલ દસાડિયા દ્વારા જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો હતો જેથી ખેડૂતને 8000 નું નુકશાન થયેલ છે માટે હાલમાં ભોગ બનેલા ખેડૂત રતિલાલ નરસીભાઇ દસાડીયાની ફરિયાદ લઈને જયસુખભાઇ જયંતિભાઇ સીસણોદા રહે. સુલતાનપુર તાલુકો માળીયા (મિં) વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News