મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ધારાસભ્યના સઘન પ્રયાસોથી સરકારી જમીન બચી: મોરબીના શનાળા રોડે 14.94 કરોડના ખર્ચે બનશે સિંચાઇ ભવન-સ્ટાફ કવાર્ટર


SHARE













ધારાસભ્યના સઘન પ્રયાસોથી સરકારી જમીન બચી: મોરબીના શનાળા રોડે 14.94 કરોડના ખર્ચે બનશે સિંચાઇ ભવન-સ્ટાફ કવાર્ટર

મોરબીના શનાળા રોડે ઉપર આવેલ સિંચાઇ વિભાગની જમીન ઉપર ભૂમાફિયાઓની નજર હતી અને તેને હજમ કરી જવા માટેની પેરવી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી જો કે, સરકારી જમીન સલામત રહે તેના માટે મોરબીના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ સઘન પ્રયાસોને લીધે આ જગ્યા ઉપર સિંચાઇ ભવન અને સિંચાઇ વિભાગના સ્ટાફ માટેના કવાર્ટર બનાવવા માટેના કામને વહીવટી મંજૂરી આપી દેવામાં આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં ત્યાં શનાળા રોડ ઉપર સોનાની લાગડી જેવી જે જમીન છે ત્યાં 14.94 કરોડના ખર્ચે સિંચાઇ ભવન અને સિંચાઇ વિભાગના સ્ટાફ માટેના કવાર્ટર બનાવવામાં આવશે.

ગાંધીનગર નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ સિંચાઇ ભવન અને સિંચાઇ વિભાગના સ્ટાફ માટેના કવાર્ટર (સ્ટેટ) મોરબી માટેના કામને મંજૂર કરવામાં આવેલ છે અને 14.94 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે તેના માટેની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે અને તાંત્રિક મંજુરીની દરખાસ્ત રજુ કરતા પહેલા આલેખનનું પ્રુફ ચેકીંગ માર્ગ અને મકાન વિભાગ પાસે કરાવી લેવાનું કહેવામા આવ્યું છે. અત્રે ઉલેખનીય છેકે, આ કિંમતી જમીન ઉપર પણ ભૂમાફિયાઓની નજર મંડાયેલ હતી જો કે, સિંચાઇ વિભાગ હસ્તકની આ સરકારી જમીન સલામત રહે તેના માટે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી કરીને આ જમીન બચી ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.




Latest News