ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE

















મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાને પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હતી જે બનનેથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (35)એ ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના સગા સંબંધી યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા એમ.આર.ચૌહાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મૃતક યુવાનની પત્ની રિસામણે માવતરના ઘરે છે અને આર્થિક સંકડામણ પણ હતી જેથી કંટાળીને પોતે પોતાની જાતે અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને યુવાને આપઘાત કરી લેતા તેના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સાપ કરડી જતાં સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનાના લેબર કવાર્ટર પાસે વનરાજભાઈ કમાભાઈ ડામોર (23) નામના યુવાનને સા કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા ખોડાભાઈ મહાદેવભાઈ સાતોલા (33) નામનો યુવાન ખટારો લઈને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામ પાસેથી પસાર થયો હતો ત્યારે કોઈ અન્ય વાહન સાથે અકસ્માત થતા યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News