જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ

એમપીથી મજૂરી કામ માટે મોરબી આવેલ પરિવાર મોરબી તાલુકાનાં બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતો હતો અને ટે પરિવારની સગીર દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદમાં તે પરિવાર તેના વતન ગયો હતો ત્યાં સગીરા સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જીરો નંબરથી ફરિયાદ આવેલ હતી જેની તપાસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને થોડા સમય પહેલા મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેવર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીની સાથે ગત તા.1/8/24 થી 31/8/24 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે લેબર ક્વાર્ટરમાં બળજબરી કરીને દુષ્કર્મ કર્યું હતું જો કે ત્યાર બાદ સગીરાનો પરિવાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યાં જઈને ખબર પડી હતી કે સગીરા સગર્ભા છે જેથી કરીને મધ્યપ્રદેશ ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ  નોંધાવેલ હતી જે ફરિયાદ ઝીરો નંબરથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો દરમ્યાન ફિરોજભાઈ સુમરામ વનરાજભાઈ ચાવડા અને દશરથસિંહ મસાણીએ દુષ્કર્મ, પોકસો અને ધમકી આપવાના ગુનાનો આરોપી મહરાષ્ટ્રના કોલ્હાપૂરમાં હોવાની બાતમી આધારે ત્યાંથી શોધી કાઢેલ છે અને ઓળખ પરેડ કરાવતા સગીરાએ આરોપીને ઓળખી બતાવેલ છે જેથી કરીને આરોપી નીરાજસિંહ બલવાનસિંહ ગોડ (20) રહે. સીજહાર બહંગામા મહોલ્લા ડોકરિયા બીજરાવગઢ કટની એમપી વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News