મોરબીમાં ઓફિસમાં ઘૂસીને પત્રકાર તરીકેની ઓળખ આપીને બદનામ કરવાની-ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી !: એક લાખની માંગણી કરી હોવાની ત્રણ સામે ફરિયાદ માળીયા (મી)ના સરદારનગર પાસે વાહનની રાહ જોઈને ઉભેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત મોરબીના મોડપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને માથામાં પથ્થર મરનારા શખ્સની સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત વાંકાનેરના હસનપર નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત મોરબીના શનાળા ગામ પાસે કારખાનામાં ડોક ઉપર મશીન પડતા આધેડ ભાગીદારનું માથું ધડથી અલગ થઈ જતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા


SHARE













મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીપ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા

આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભાના પ્રભારી તથા સહપ્રભારીની નીમણુંક કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં આવેલ ટંકારા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ રાણસરીયાની નીમણુંક કરવામાં આવી છે. તેઓ ગત ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી લડ્યા હતા. અને પાર્ટીને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મજબુત બનાવવા માટે તેઓને વિધાનસભા પ્રભારીની જવાબદારી આપવામાં આવેલ છે. તો વાંકાનેર વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ આદ્રોજા અને મોરબી માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મહાદેવભાઈ પટેલની નીમણુંક કરવામાં આવી છે. આમ જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટેની પ્રદેશની ટીમ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે અને વાંકાનેર વિધાનસભા સહપ્રભારી તરીકે અર્જુનસિંહ વાળા અને ઉસ્માન ગનીભાઇ બાદીની નિમણૂક કરવામાં આવેલ છે.








Latest News