મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મુંબઈમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા


SHARE







મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીપ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા

આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભાના પ્રભારી તથા સહપ્રભારીની નીમણુંક કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં આવેલ ટંકારા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ રાણસરીયાની નીમણુંક કરવામાં આવી છે. તેઓ ગત ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી લડ્યા હતા. અને પાર્ટીને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મજબુત બનાવવા માટે તેઓને વિધાનસભા પ્રભારીની જવાબદારી આપવામાં આવેલ છે. તો વાંકાનેર વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ આદ્રોજા અને મોરબી માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મહાદેવભાઈ પટેલની નીમણુંક કરવામાં આવી છે. આમ જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટેની પ્રદેશની ટીમ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે અને વાંકાનેર વિધાનસભા સહપ્રભારી તરીકે અર્જુનસિંહ વાળા અને ઉસ્માન ગનીભાઇ બાદીની નિમણૂક કરવામાં આવેલ છે.






Latest News