જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા


SHARE













મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીપ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા

આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભાના પ્રભારી તથા સહપ્રભારીની નીમણુંક કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં આવેલ ટંકારા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ રાણસરીયાની નીમણુંક કરવામાં આવી છે. તેઓ ગત ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી લડ્યા હતા. અને પાર્ટીને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મજબુત બનાવવા માટે તેઓને વિધાનસભા પ્રભારીની જવાબદારી આપવામાં આવેલ છે. તો વાંકાનેર વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ આદ્રોજા અને મોરબી માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મહાદેવભાઈ પટેલની નીમણુંક કરવામાં આવી છે. આમ જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટેની પ્રદેશની ટીમ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે અને વાંકાનેર વિધાનસભા સહપ્રભારી તરીકે અર્જુનસિંહ વાળા અને ઉસ્માન ગનીભાઇ બાદીની નિમણૂક કરવામાં આવેલ છે.






Latest News