મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો


SHARE











વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો

સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે ૧૯૩૬ માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે.સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો  રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં વાંકાનેર ખાતે પ્રારંભ થયો હતો.

સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ વાંકાનેર  મધ્યે યોજવામાં આવ્યો છે.વર્ગાધિકારી પૂનમબેન રાવલ અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાનીનું માર્ગદર્શન રહેશે.શિક્ષિકાઓ દ્વારા દંડ, નિયુદ્ધ(કરાટે), સમતા,ઘોષ (બેન્ડ) નું વર્ગ દરમિયાન પ્રશિક્ષણ કરવામાં આવશે.આ વર્ગમાં કુલ ૫૨ શિક્ષાર્થીઓ જે આખા સૌરાષ્ટ્રના કુલ ૧૩ સ્થાનોથી આવેલા છે.જેઓ પૂર્ણ સમય સંકુલમાં જ રોકાઈને ભારત માતાની સેવા કરવા માટે પ્રાતઃ ૫ થી લઈ રાત્રીના ૧૦:૩૦ સુધી શારીરિક, બૌદ્ધિક, ચર્ચા, ગીત જેવા વિવિધ સત્રો દ્વારા "નારી કભી ના હારી" જેવા સૂત્ર ને ચરિતાર્થ કરવા સ્વની સાધના કરશે.૧૦ શિક્ષિકા, ૧ પ્રબંધિકા, ૬ અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે.આ ૧૦ દિવસની સાધના અંતર્ગત બહેનોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે માટે યોગ, આસન, દંડ, નીયુધ્ધ, ઘોષ, સમતા, ચર્ચા જેવા અનેક વિવિધ વિષયોથી બહેનોનું ધડતર  થાય છે.શાખા દ્વારા ગુણવત્તાયુક્ત સેવિકાઓનું ધડતર થઈ રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત  કરીને દેશ સેવા, દેશ કાર્ય કરવામાં આવતું હોય છે.






Latest News