ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો


SHARE













વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો

સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે ૧૯૩૬ માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે.સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો  રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં વાંકાનેર ખાતે પ્રારંભ થયો હતો.

સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ વાંકાનેર  મધ્યે યોજવામાં આવ્યો છે.વર્ગાધિકારી પૂનમબેન રાવલ અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાનીનું માર્ગદર્શન રહેશે.શિક્ષિકાઓ દ્વારા દંડ, નિયુદ્ધ(કરાટે), સમતા,ઘોષ (બેન્ડ) નું વર્ગ દરમિયાન પ્રશિક્ષણ કરવામાં આવશે.આ વર્ગમાં કુલ ૫૨ શિક્ષાર્થીઓ જે આખા સૌરાષ્ટ્રના કુલ ૧૩ સ્થાનોથી આવેલા છે.જેઓ પૂર્ણ સમય સંકુલમાં જ રોકાઈને ભારત માતાની સેવા કરવા માટે પ્રાતઃ ૫ થી લઈ રાત્રીના ૧૦:૩૦ સુધી શારીરિક, બૌદ્ધિક, ચર્ચા, ગીત જેવા વિવિધ સત્રો દ્વારા "નારી કભી ના હારી" જેવા સૂત્ર ને ચરિતાર્થ કરવા સ્વની સાધના કરશે.૧૦ શિક્ષિકા, ૧ પ્રબંધિકા, ૬ અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે.આ ૧૦ દિવસની સાધના અંતર્ગત બહેનોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે માટે યોગ, આસન, દંડ, નીયુધ્ધ, ઘોષ, સમતા, ચર્ચા જેવા અનેક વિવિધ વિષયોથી બહેનોનું ધડતર  થાય છે.શાખા દ્વારા ગુણવત્તાયુક્ત સેવિકાઓનું ધડતર થઈ રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત  કરીને દેશ સેવા, દેશ કાર્ય કરવામાં આવતું હોય છે.








Latest News