મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાએ બે યુવાનોએ કર્યો આપઘાત


SHARE











મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાબે યુવાનોએ કર્યો આપઘાત

મોરબીના ફાટસર અને બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યા ઉપર બે યુવાનોએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંને યુવાનોના મોત નિપજ્યાં હતા અને તેઓના મૃતદેહને હોસ્પિટલે લઈ આવીને આપઘાતના આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ડીંન્ગી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ (40) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. ફાટસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ હિંમત ગ્લેઝ ટાઇલ્સ નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અંકુશકુમાર રાજેશકુમાર (21) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હસમુખભાઈ ગોરધનભાઈ ગામી (45) રહે. નવા બસ સ્ટેશન સામે ક્રિષ્ના સોસાયટી સરદારબાગ પાછળ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News