મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ


SHARE











વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં અને ટંકારા તાલુકા વિસ્તારમાં વીજ ધાંધીયા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે જેથી કરીને સ્થાનિક ધારાસભ્યોએ વીજ કંપનીના અધિક્ષક સહિતના ઈજનેરોની હાજરીમાં મિટિંગ કરી હતી અને લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓએ વહેલી તકે વીજ પુરવઠાને લગતા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપેલ હતી.

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં વિજકંપનીના ઘણા પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા, વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયાડેપ્યુટી એન્જીનીયર એન.ડી.પટેલડેપ્યુટી એન્જીનીયરઆઈ.એમ.મોઢરૂરલ-1 ના એચ.એચ. પટેલરૂરલ-2 ના કે.એચ. મોરઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મિટિંગ કરી હતી અને ત્યારે અધિકારી ધારાસભ્યને ગણતરીના દિવસોમાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી. તો ટંકારા તાલુકામાં પણ વરસાદ પછીથી સતત વીજ ધાંધિયા જુદાજુદા વિસ્તારમાં જોવા મળે છે જેથી કરીને વીજ પુરવઠાને લગતા પ્રશ્નો ઉકેલવા માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક વીજ કંપનીના અધિકારીઓની સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને લોકોના જે પ્રશ્ન હતા તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીને સૂચના આપેલ હતી.






Latest News